home share

કીર્તન મુક્તાવલી

(૧) ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

મળ્યા હરિ મુખોમુખ

સારંગપુર, તા. ૩/૭/૧૯૮૧ના રોજ રથયાત્રાનો ઉત્સવ મંદિરના ઘુંમટમાં ધામધૂમથી ઊજવાયો. અહીં સ્વયંસંચાલિત રથ તથા પર્વત, ગુફા, ઘર વગેરેની અનુપમ શોભા રચીને સંતોએ રથયાત્રાને આબેહૂબ ખડી કરી દીધી. પ્રમુખસ્વામી મહારાજે રથારૂઢ ઠાકોરજીની આરતી ઉતારી. ગવૈયાઓએ ઉત્સવાનુરૂપ ભજનો ગાઈ મહારાજને રથવિહાર કરાવ્યો. જાંબુ તથા પલાળેલા મગ-ચણાનો પ્રસાદ વહેંચાયો.

આ ઉત્સવ બાદ સાયંકાળે સ્મૃતિમંદિરે પધારેલા પ્રમુખસ્વામી મહારાજ પ્રદક્ષિણા ફરીને મંદિરના નૈઋત્ય ખૂણામાં ખુરશી પર બિરાજ્યા. તે વખતે સંતોએ અંતરમાં ઊછળી રહેલો ભાવ કીર્તનગાન દ્વારા વહેતો કર્યો કે ‘ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં...’ સ્વામીશ્રી પણ શબ્દો અનુસાર લટકાં કરી સુખની લહાણ કરવા લાગ્યા. તેમાં જ પંક્તિ ગવાઈ કે ‘મળ્યા હરિ મુખોમુખ...’

ત્યારે હર્ષદભાઈએ પૂછ્યું, “બાપા! ‘મળ્યા હરિ મુખોમુખ એટલે શું?’ - આ પ્રશ્ન યોગીજી મહારાજને પૂછેલો તો તેમણે પોતાના સ્વરૂપની વાત કરેલી. પણ હવે શું સમજવું?”

“એ શબ્દો કાયમ માટે કહ્યા છે.” સ્વામીશ્રી બોલ્યા. પછી ઉમેર્યું, “મહારાજ એકાંતિક સંત દ્વારા પ્રગટ છે. મળ્યા એ સહજાનંદ સ્વામી છે. અહીં એની એ વસ્તુ છે. તેમના દ્વારા કલ્યાણ થયું છે તેમ સમજાય તો સમજ્યા કહેવાય. તેના ગુણ આપણામાં આવે તો મળ્યા કહેવાય. આવા શબ્દોનો વિચાર નિરંતર કરવો. એક-બે દિવસ નહીં.”

સ્વામીશ્રી આમ જ્યાં શબ્દોનાં રહસ્ય ખોલી રહેલા ત્યાં જ એકસાથે ઘણા મોરલા ગહેંકી ઊઠ્યા. તે સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, “પ્રગટ ભગવાનની વાત થઈ તો પંખીઓ પણ ખુશ થયાં ને મોરલાએ પણ પ્રગટ ભગવાનની વાતને ટેકો પુરાવ્યો.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૨૦]

(1) Bhāgya jāgyā re āj jāṇvā

Sadguru Nishkulanand Swami

We Met God Face-to-Face

July 3, 1981. Sarangpur. After celebrating the Rath Yatra festival, Pramukh Swami Maharaj arrived at the Smruti Mandir and performed pradakshinās. He then sat on a chair in a scenic corner. The sadhus sang the kirtan ‘Bhāgya jāgyā re āj jānavā’. The line ‘malyā Hari mukho mukh’ was sung.

Harshadbhai asked, “Bapa, when Yogiji Maharaj was asked what ‘malyā Hari mukho mukh’ meant, he revealed his own form [meaning that Maharaj is manifest through him]. What should we understand now?”

Swamishri replied, “Those words are forever.” Then added, “Maharaj is manifest through the Ekāntik Sant. The one we met is Sahajanand Swami. When we believe we have been liberated through him, then we have understood what we need to understand. When we imbibe his qualities, then we can say we have met him. We should think about these words constantly. Not for one or two days.”

As Swamishri was revealing these truths, some peacocks made their calls. Hearing their calls, Swamishri said, “Even the birds are pleased because we talked about the manifest form of God. These peacocks support the talks of the manifest.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/420]

 

(૨) ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

તા. ૫/૧૨/૧૯૯૭ના સાંજે પ્રમુખસ્વામી મહારાજ વડોદરાના આંગણે પધાર્યા. સ્વામીશ્રી મંદિરની પ્રદક્ષિણાના અગ્રભાગ પર બિરાજ્યા ત્યારે સામે પ્રાંગણમાં બેઠેલા હજારો ભક્તોએ જયનાદ ગજવી તેઓને સત્કાર્યા.

તે સૌને આશીર્વર્ષાથી તૃપ્ત કરતાં સ્વામીશ્રીએ કહ્યું, “આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણા ભાગે સારું લાંભું આવ્યું છે. હવે છેલ્લો જનમ. આ એમનું વરદાન છે કે સર્વને બ્રહ્મરૂપ કરવા છે. એટલે એવા લાંભામાં આવી ગયા છીએ.”

આમ કહેતાં સ્વામીશ્રીએ સ્વયં ‘ભાગ્ય જાગ્યાં...’ કીર્તનની કડી ઊંચી હલકે ઉપાડી. તેનું જ વિવરણ કરતાં વધુમાં જણાવ્યું:

“ભગવાન પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના અધિપતિ કે જેમનો ભેટો થાય નહીં, એ દયાએ કરીને આવ્યા ને આપણે એમનો દર્શન-લાભ લઈએ છીએ, એમનાં પ્રવચન સંભળાય છે એ દયા થઈ છે. કોટિ કલ્યાણ થયાં છે. કોટિ કલ્યાણ એટલે છેલ્લો જનમ. હવે ઉધારો નથી. ‘કેમ થશે? શું થશે? ભૂત થઈશું?’ એવી શંકા રાખવાની જરૂર જ નથી. મહારાજનું પ્રગટપણું છે ને સાચા ગુરુ મળ્યા એટલે જીતનો ડંકો વાગી ગયો. શું જીતી ગયા? માયા સામેની જીત થઈ ગઈ.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૪૨૯]

(2) Bhāgya jāgyā re āj jāṇvā

Sadguru Nishkulanand Swami

On December 5, 1997, Pramukh Swami Maharaj arrived in Vadodara at night. After doing the pradakshinā of the mandir, he sat in front of the mandir, where thousands of devotees who sat in the courtyard welcomed him.

He pleased the devotees with the blessing: “We are very fortunate since we got the ‘better deal in the share’ - i.e. this is our last birth. To make everyone brahmarup is [Maharaj’s] promise. So we are included in this share.”

With these blessings, Swamishri sang the kirtan ‘Bhāgya jāgyā re āj jāṇvā’. Then, he explained:

“Purushottam Bhagwan, the sovereign of Akshardham - who is impossible to reach - has come here out of his immense compassion and we are able to have his darshan and listen to his talks. This is equivalent to millions of liberations - which means our last birth. There is nothing owed. There is no need to worry about what will happen, how it will happen, or will be become a ghost. Maharaj is present today and we have attained a genuine guru. The victory bells are ringing. What is the victory? It is the victory over māyā.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/429]

 

(૩) ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

આકાશમાંથી તો આવીને બેઠા છીએ

તા. ૮/૪/૧૯૯૯ની સવારે નવસારીના મંદિર-સંકુલમાં નૂતન સભાગૃહનું ખાતમુહૂર્ત કરી સભામાં બિરાજેલા પ્રમુખસ્વામી મહારાજે ‘ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં...’ પદ પર નિરૂપણ કરતાં જણાવ્યું:

“‘પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ... અમથી પરોક્ષ રીતે તો સૌ ભક્તિ કરે છે કે એ...ય આકાશમાં ભગવાન છે, પણ આકાશમાંથી તો આવીને બેઠા છીએ. કોઈ ગેસ્ટ (મહેમાન) કાગળ નહીં, પત્ર નહીં ને એકદમ આવીને ઊભા રહી જાય તો ઓહોહો... આનંદ આનંદ થઈ જાય! ભાન ભૂલી જાય. એમ આપણને પણ અણચિંતવ્યું સુખ આવ્યું છે, તો હંમેશાં આનંદમાં, કેફમાં રહેવું. ડંકો વાગી ગયો છે આજ. શેનો ડંકો? નગારાંનો ધબ... ધબ... ધબ...? એ તો વાગે છે, પણ આપણે ડંકો શું? તો અક્ષરધામના અધિકારી બની ગયા છીએ એ ડંકો વાગી ગયો છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૯/૨૮]

(3) Bhāgya jāgyā re āj jāṇvā

Sadguru Nishkulanand Swami

In the morning of April 8, 1999, Pramukh Swami Maharaj explained the significance of ‘Bhāgya jāgyā re āj jānavā’:

“‘Pāmyā Prabhu pragat prasang...’ Everyone worships God that is not manifest, as if God is in the sky; but God has come from the sky and is sitting here. If a guest comes without being invited, one would be overjoyed. Similarly, we have attained immeasurable bliss that is unimaginable. Therefore, we should remain joyful. The drums of victory are sounding off. What are these drums for us? We have become eligible to reside in Akshardham - these are the victory drums.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 9/28]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase